અમદાવાદનો SP રિંગરોડ બન્યો કાળમૂખો..! મંદિરેથી દર્શન કરીને આવી રહેલા દંપતીનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત

B INDIA AHMEDABAD : અમદાવાદનાં SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા.અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

 

 

અમદાવાદના SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
ટ્રકે દંપતીને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળ પર જ મોત

Truck driver crushes couple in Ahmedabad | અમદાવાદમાં ટ્રકચાલકે દંપતીને કચડી નાખ્યું: SP રિંગ રોડ પર મંદિરથી દર્શન કરીને પરત આવતા ટ્રકે અડફેટે લીધા, પતિ ...

અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતીની ઓળખ 62 વર્ષીય કાંતિભાઈ પટેલ અને 60 વર્ષીય દક્ષાબેન પટેલ તરીકે થઈ છે.ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *