ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદનું યલો એલર્ટ
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. આગામી છ દિવસ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે. 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે…
☔ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર, હવામાન વિભાગની વધુ વરસાદની આગાહી.
હવામાન અપડેટ: ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, આગામી બે દિવસ પણ વરસાદી માહોલની આગાહી ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે જામ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત…
🌧️ ભારે વરસાદથી તાપી ઠપ્પ! અનેક બ્રિજ પાણીમાં ડૂબ્યા
તાપી જિલ્લામાં ભારે વરસાદ બાદ 26 રસ્તા બંધ – લો-લેવલ બ્રિજ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે તાપી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. તેના પરિણામે જિલ્લામાં કુલ 26 રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મળતી માહિતી મુજબ, અનેક લો-લેવલ બ્રિજ અને કોઝવે પર પાણી ફરી વળતાં સુરક્ષાના કારણોસર વાહનવ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને લોકોને જોખમ ન લેવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવાની અપીલ કરી છે. ભારે વરસાદને કારણે કેટલાક ગામોનો સંપર્ક મુખ્ય માર્ગો સાથે અસ્થાયી રીતે ખોરવાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું…











