ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ આપી રહી છે. ઝુંબેશનો ગણતરીનો તબક્કો 4 ડિસેમ્બર સુધી ચાલવાના છે. ઝુંબેશના ભાગરૂપે, 2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓએ 100% ફોર્મ વિતરણનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. વિતરણ કરાયેલા ફોર્મમાંથી પરત મળેલા ફોર્મના ડિજિટાઇઝેશનનું કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં 81%થી વધુ ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે. ડાંગ જિલ્લો 89.61% ડિજિટાઇઝેશન સાથે મોખરે છે. અન્ય ટોચના જિલ્લાઓમાં બનાસકાંઠા (84.99%) અને સાબરકાંઠા (84.18%)નો સમાવેશ થાય છે. ગણતરી દરમિયાન નોંધાયેલી મહત્વપૂર્ણ વિગતો: – 13.1 લાખથી વધુ અવસાન…

ગુજરાતમાં SIR દરમિયાન મોટા ખુલાસા, મતદાર યાદી શુદ્ધિકરણ તેજ

રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન (SIR) દરમિયાન ગુજરાતની મતદાર યાદીમાં અનેક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના નામ, સરનામાં અને ઓળખની માહિતીની ઘેરાં મથક ઉપર જઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી વ્યવસ્થાને વધુ પારદર્શક, નિખાલસ અને વિશ્વસનીય બનાવવા માટે અગત્યની ગણાય છે. 1. રાજ્યમાં 1.15 લાખ રિપીટ મતદારોની ઓળખ SIRની કામગીરી દરમિયાન સૌથી મોટો ખુલાસો એ રહ્યો કે 1.15 લાખ મતદારો બે અથવા તેથી વધુ જગ્યાએ નોંધાયેલા હતા. આવા રિપીટ મતદારોની માહિતી ચકાસીને નામ એકસરખા કરવા અને નકલ દૂર કરવાની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. તંત્રનું માનવું છે કે મતદાર યાદીની વિશ્વસનીયતા માટે આ સૌથી અગત્યનું પગલું છે. 2. 1 લાખ જેટલા મતદારો સરનામા પર…