નવેમ્બરમાં વોડાફોન-આઈડિયાએ ગુમાવ્યા 10 લાખથી વધુ યુઝર્સ, જાણો Jio, Airtel અને BSNLની સ્થિતિ

ટ્રાઈએ નવેમ્બર માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યો છે. વર્ષના પહેલા જ દિવસે વોડાફોન-આઈડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપનીના યુઝર બેઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવેમ્બરના સબસ્ક્રાઈબર ડેટા અનુસાર, કંપનીએ 1 મિલિયનથી વધુ યુઝર્સ ગુમાવ્યા છે. વોડાફોન-આઈડિયાએ તાજેતરમાં જ દેશના ઘણા શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. તેમ છતાં, કંપનીના યુઝર બેઝમાં ઘટાડો ચાલુ છે. ટ્રાઈના નવેમ્બર મહિનાના સબસ્ક્રાઈબર ડેટા અનુસાર, વોડાફોન આઈડિયાએ સૌથી વધુ 10,11,134 યુઝર્સ ગુમાવ્યા છે. કંપનીનો માર્કેટ શેર 0.50% ઘટ્યો છે. હવે વોડાફોન આઈડિયાનો માર્કેટ શેર ઘટીને 17.01% થઈ ગયો છે. તે જ સમયે, Jio, Airtel અને BSNLને આનો ફાયદો થયો છે. સરકારી કંપની MTNLના યુઝર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. કંપનીના 7530 સબ્સ્ક્રાઇબર્સ છોડી ગયા…

Jio, Airtel અને Viના યુઝર્સ માટે શરૂ થઈ આ ખાસ સર્વિસ, TRAIના નિર્દેશની જોવા મળી અસર

રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા જો આ ત્રણમાંથી કોઈ પણ કંપનીના સીમકાર્ડનો ઉપયોગ તમે કરી રહ્યા છો તો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Jio, Airtel અને VI એ તેમના કરોડો યુઝર્સ માટે એક નવી સેવા શરૂ કરી છે. ટેલિકોમ કંપનીઓએ તેમની સંબંધિત વેબસાઇટ્સ પર તેમના નેટવર્ક કવરેજ નકશા અપલોડ કર્યા છે. થોડા સમય પહેલા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને વેબસાઇટ પર નેટવર્ક કવરેજ મેપ બતાવવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રાઈના આ નિર્દેશ પાછળનો હેતુ મોબાઈલ યુઝર્સ ને કંપનીની વાયરલેસ અને બ્રોડબેન્ડ સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે તે જાણવાનો હતો. જેને લઈ હવે ત્રણ કંપનીઑએ આ નકશા અપલોડ કર્યા છે. ટેલિકોમ ટોકના એક અહેવાલ મુજબ, ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને નિર્દેશો જારી કરતી વખતે કહ્યું…