યુનિયન બજેટ 2026: 1લી એપ્રિલથી નવો ઇન્કમટેક્સ એક્ટ લાગુ, નાના કરદાતાઓને મોટી રાહત

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા યુનિયન બજેટ 2026માં કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 1લી એપ્રિલ 2026થી દેશમાં નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં આવશે, જેના કારણે ખાસ કરીને નાના અને મધ્યમ કરદાતાઓને મોટી રાહત મળશે. નવા કાયદા હેઠળ કરદાતાઓ હવે નોમિનલ ફી ચૂકવીને ઇન્કમટેક્સ રિટર્ન (ITR) રિવાઇઝ કરી શકશે. અત્યાર સુધી રિટર્નમાં ભૂલ થઈ જાય તો કરદાતાઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા વધુ સરળ બનશે. બજેટમાં વધુ એક મહત્વની જાહેરાત મુજબ ITR-1 અને ITR-2 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી રહેશે. આ નિર્ણયથી પગારધારક અને નાના કરદાતાઓને પૂરતો સમય મળશે અને રિટર્ન ભરવામાં થતી દોડધામ ઘટશે. નાના કરદાતાઓ માટે ખાસ રાહતરૂપે વન ટાઇમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. જે…

બજેટ સત્ર 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રને મંજૂરી આપી છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી રહેશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલે સમાપ્ત થશે. 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિનું અભિભાષણ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નક્કી કરાયેલા કામચલાઉ સમયપત્રક મુજબ, 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. પરંપરાગત રીતે વર્ષના પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિનું ભાષણ થાય છે. બીટિંગ રિટ્રીટ સમારોહને કારણે 29 જાન્યુઆરીએ બંને ગૃહોની બેઠક નહીં થાય. આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ આર્થિક સર્વે 29 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ સંસદ મળશે, પરંતુ 31 જાન્યુઆરીએ લોકસભા અને…

28 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે 29 જાન્યુઆરીએ લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, વિકાસ દર અને આગામી પડકારોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરશે. મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ આ બજેટ મોદી 3.0 સરકારનું બીજું પૂર્ણ બજેટ હશે. ત્રીજા કાર્યકાળ દરમિયાન સરકારનું પહેલું પૂર્ણ બજેટ વર્ષ 2025માં રજૂ કરવામાં આવ્યું હતું. આવનારો બજેટ સરકાર માટે ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે દેશની આર્થિક ગતિ જાળવવા સાથે સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. મધ્યમ વર્ગને રાહતની અપેક્ષા આ વખતના બજેટથી મધ્યમ વર્ગને વિશેષ રાહત મળવાની અપેક્ષા છે. ઊંચા કરવેરા, વધતી…

કેન્દ્રીય બજેટ 2026-27 માટે જનતાના સૂચનો આમંત્રિત, ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે સરકારની તૈયારીઓ શરૂ

કેન્દ્ર સરકારે આગામી નાણાકીય વર્ષ 2026-27ના સામાન્ય બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજેટને વધુ લોકભોગ્ય અને વ્યાપક બનાવવા માટે નાણા મંત્રાલયે દેશના સામાન્ય નાગરિકો, ખેડૂતો, યુવાનો અને ઉદ્યોગજગત પાસેથી સૂચનો અને અભિપ્રાયો આમંત્રિત કર્યા છે. વર્ષ 2025ના અંતિમ મહિનાઓમાં જ બજેટ પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે. નાણા મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગામી કેન્દ્રીય બજેટ માટે જનતાના સૂચનો ખૂબ મહત્વના રહેશે. સરકારનો ઉદ્દેશ્ય બજેટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકશાહી બનાવવાનો છે. MyGov પ્લેટફોર્મ પર આપી શકાશે સૂચનો નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાગરિકો MyGov (માય ગવર્નમેન્ટ) પ્લેટફોર્મ મારફતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકશે. આ સૂચનોમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને આર્થિક વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થવાની અપેક્ષા છે. ‘વિકસિત ભારત’…