યુએનનો મોટો નિર્ણય: ઉત્તર કોરિયાને પ્રતિબંધો વચ્ચે મળશે માનવતાવાદી સહાય
વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને પરમાણુ વિવાદોમાં ઘેરાયેલું ઉત્તર કોરિયા હવે યુએન દ્વારા માનવતાવાદી સહાય પ્રાપ્ત કરશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિએ ઉત્તર કોરિયામાં ચાલી રહેલા માનવતાવાદી પ્રોજેક્ટ્સને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે સિઅલના રાજદ્વારી સૂત્રોએ આ જાણકારી પુષ્ટિ કરી છે. હવે આ ગરીબ દેશમાં જીવનજરૂરી ચીજો પહોંચાડવાનો માર્ગ ખુલ્લો થશે. 17 પ્રોજેક્ટ્સને લીલી ઝંડી માહિતી મુજબ યુનિસેફ (UNICEF) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમજ દક્ષિણ કોરિયા અને અમેરિકાની એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા 17 જેટલા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઉત્તર કોરિયાના બાળકોને પોષણયુક્ત આહાર, તબીબી સાધનો અને સ્વચ્છ પાણી માટે વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવશે. લાંબા સમય સુધી વોશિંગ્ટન દ્વારા આ સહાય અટકાવવામાં આવી હતી, પરંતુ હવે તેને મંજૂરી મળી…
Children’s Day 2025 : બાળ દિવસ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ, મહત્વ અને 2025ની થીમ
ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ (Children’s Day) ઉજવવામાં આવે છે. બાળકોના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને ભવિષ્યના નિર્માણના મહત્વને ઉજાગર કરવાનો આ દિવસ એક રાષ્ટ્રીય અવસર તરીકે મનાવવામાં આવે છે. બાળ દિવસની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસ સાથે જોડાયેલી છે. નહેરુ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને “ચાચા નહેરુ” તરીકે ઓળખતા. તેમના આ સ્નેહ, દૃષ્ટિ અને બાળકોના ઉન્નતિ માટેના યોગદાનને કારણે તેમના જન્મદિવસને જ બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળ દિવસ 14 નવેમ્બર કેમ ઉજવાય છે? પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને દરેક…
મેલિસા વાવાઝોડું: કેરેબિયનમાં વિનાશનો કહેર, યુએન અને વૈશ્વિક સંસ્થાઓએ શરૂ કરી ‘લાઇફલાઇન’ મદદ
આ સદીના સૌથી વિનાશક વાવાઝોડાઓમાંનું એક ગણાતું મેલિસા વાવાઝોડું કેરેબિયન ટાપુઓમાં તાંડવ મચાવી રહ્યું છે. ભારે વરસાદ, વંટોળિયા પવન અને સમુદ્રી તોફાનના કારણે ડઝનબંધ લોકોના મોત, લાખો લોકો ઘરવિહોણા અને આવશ્યક પુરવઠાનો પુરો ભંગ થયો છે. આ વિનાશ બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) અને તેની માનવતાવાદી એજન્સીઓએ તાત્કાલિક “લાઇફલાઇન રિલીફ ઓપરેશન” શરૂ કરી દીધું છે. તાત્કાલિક સહાયની જરૂરિયાત: લાખો લોકો સંકટમાં યુએનની માનવતાવાદી એજન્સી OCHA (Office for the Coordination of Humanitarian Affairs) મુજબ જમૈકા, ક્યુબા અને હૈતીમાં લાખો લોકોને તાત્કાલિક ખોરાક, પાણી, આશ્રય અને દવાઓની જરૂર છે. યુએનના અંડર-સેક્રેટરી જનરલ અને માનવતાવાદી સંયોજક ટોમ ફ્લેચરે કહ્યું “આવા સમયમાં આંતરરાષ્ટ્રીય સહકાર માત્ર એક સિદ્ધાંત નથી તે જીવનરેખા છે.” ક્યુબામાં સૌથી વધુ વિનાશ મેલિસા વાવાઝોડું ખાસ કરીને પૂર્વીય ક્યુબામાં…









