7 મેટ્રો સ્ટેશન બંધ, રસ્તાઓ પર બેરિકેડથી થયું ‘દિલ્હી જામ’
રાજધાની દિલ્હીમાં ગુરુવારે જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે સેન્ટ્રલ દિલ્હીની ટ્રાફિક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા હતા અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા હતા. આ કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વિસ્તારોમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કર્યા હતા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે વિવિધ માર્ગો પર રોક લગાવવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે સેન્ટ્રલ દિલ્હીના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો.…
અમદાવાદના વાહનચાલકો માટે મહત્વની સૂચના, શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોનો પ્રવેશ બંધ
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના અને વ્યસ્ત શાસ્ત્રી બ્રિજ (વિશાલા–નારોલ બ્રિજ) પરથી પસાર થતા ભારે વાહનો માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજની સલામતી અને મજબૂતીને ધ્યાનમાં રાખીને આગામી 8 જાન્યુઆરી, 2027 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધની વિગતો – પ્રતિબંધિત સમયગાળો: હાલથી 8 જાન્યુઆરી, 2027 સુધી – પ્રતિબંધિત વાહનો: ટ્રક, ટ્રેલર, લક્ઝરી બસ તેમજ તમામ પ્રકારના ભારે માલવાહક વાહનો – પ્રતિબંધનું કારણ: બ્રિજની જર્જરિત હાલત અને તાત્કાલિક રિપેરિંગની જરૂરિયાત ભારે વાહનો માટે ડાયવર્ઝન રૂટ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. નારોલથી વિશાલા તરફ: નારોલ સર્કલ → પીરાણા ચાર રસ્તા → એસ.પી. રિંગ રોડ → શાંતિપુરા થઈ આગળનો માર્ગ…
1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત
જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની વ્યવસ્થામાં મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. 1 એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી બંધ કરવાની તૈયારી કરવામાં આવી છે. નવા નિયમ મુજબ હવે ટોલ ટેક્સ ચૂકવવા માટે માત્ર FASTag અથવા UPI જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડશે. એટલે કે જે વાહનચાલકો પાસે FASTag નહીં હોય અથવા UPI દ્વારા ચુકવણી કરવા સક્ષમ નહીં હોય, તેમને ટોલ પ્લાઝા પાર કરવામાં મુશ્કેલી પડી શકે છે. હવે ડિજિટલ ચુકવણી જ માન્ય અત્યાર સુધી ઘણા ટોલ પ્લાઝા પર કેશ ચુકવણી માટે અલગ લેન રાખવામાં આવતી હતી,…
અમદાવાદ: મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વની જાણકારી, આજે આ રૂટ રહેશે બંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હોવાથી શહેરની મેટ્રો સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજે મેટ્રો ટ્રેન સેવાના એક રૂટ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રો સેવા બંધ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો યોજાવાના કારણે સવારે 9:45 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો મેટ્રો રૂટ બંધ રહેશે. ચાલુ રહેતા રૂટ્સ: – વસ્ત્રાલથી શાહપુર સુધી મેટ્રો સેવા યથાવત રહેશે – જૂની હાઈકોર્ટથી થલતેજ ગામ સુધીનો રૂટ પણ ચાલુ રહેશે મેટ્રો તંત્ર દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરી પહેલાં સમયપત્રક ચકાસી લે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. Follow us On Social…
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…













