દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનો સમય બદલાયો, આમ આદમી પાર્ટીએ કર્યો કટાક્ષ

દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે યોજાશે. પહેલા તેનો સમય સાંજે ૪.૩૦ વાગ્યે નક્કી કરવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. આ પહેલા ૧૯ ફેબ્રુઆરીએ બપોરે ૩.૩૦ વાગ્યે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવામાં આવશે. -> AAPનો કટાક્ષ :- તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાતમાં વિલંબ થવા બદલ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપ પર કટાક્ષ કર્યો છે. આપના દિલ્હી રાજ્ય સંયોજક ગોપાલ રાયે જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે લગ્નનું સરઘસ તૈયાર છે, મંડપ પણ તૈયાર છે, પરંતુ ભાજપ હજુ પણ નક્કી કરી શકી નથી કે વરરાજા કોણ હશે. તેમણે કહ્યું, “ભાજપ…