નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે: સાણંદમાં સેમિકંડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બપોરે અંદાજે 3 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર આગમન બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા સીધા સાણંદ જવા રવાના થશે. સાણંદ ખાતે વડાપ્રધાન સેમિકંડક્ટર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતા નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે આ પ્રોજેક્ટને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્લાન્ટની મુલાકાત લઈ ઉત્પાદન પ્રક્રિયા અને આધુનિક ટેકનોલોજી અંગે માહિતી મેળવે તેવી શક્યતા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજે ફરી અમદાવાદ પરત ફરશે અને ત્યાંથી નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. આ મુલાકાતને ગુજરાત માટે રોકાણ, રોજગાર સર્જન અને ટેકનોલોજી વિકાસના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી…
Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો ચોક્કસ છૂટછાટોની આશા રાખતા હતા. આને ધ્યાનમાં રાખીને, સરકારે બેટરી ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, “હું પ્રસ્તાવ મૂકું છું કે બેટરી ઉત્પાદનમાં વપરાતા લિથિયમ-આયન સેલ માટે મશીનરી અને મૂડી માલ પર કસ્ટમ ડ્યુટી પર જે મુક્તિ પહેલાથી જ ઉપલબ્ધ છે, તે જ મુક્તિ હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમમાં વપરાતા લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે વપરાતા ઉપકરણો પર પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સોલાર કાચના ઉત્પાદનમાં વપરાતા સોડિયમ એન્ટિમોનેટની આયાત પર મૂળભૂત…
BSNLએ શરૂ કરી ખાસ સેવા, કોલ ડ્રોપની સમસ્યાથી મળશે છૂટકારો
BSNL એ સમગ્ર ભારતમાં કોલ ડ્રોપની સમસ્યા દૂર કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ સત્તાવાર રીતે VoWiFi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શરૂ થવાથી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નેટવર્ક સિવાયના વિસ્તારોમાં પણ કોલ કરવાની મંજૂરી આપશે. યુઝર્સ તેમના ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરી શકશે અને કોલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હાલમાં, ખાનગી કંપનીઓ એરટેલ અને Jio દેશભરમાં VoWiFi સેવાઓ પૂરી પાડે છે. BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા જાહેરાત કરી કે સમગ્ર ભારતમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી છે. જો ક્યાંય પણ સિગ્નલની સમસ્યા હોય, તો તમે VoWiFi દ્વારા કનેક્ટ થઈ શકો છો. ભારત સંચાર નિગમ લિમિટેડે થોડા મહિના પહેલા જ સમગ્ર ભારતમાં તેની 4G સેવા શરૂ કરી છે. કંપનીએ આ માટે…
કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ
કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. દેશના તમામ નાગરિકોને સાયબર સુરક્ષાના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ એપ સંપૂર્ણપણે સલામત છે અને તેનો હેતુ ફક્ત નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે… સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન આવશ્યકતા દૂર કરવાનો નિર્ણય લીધો છે. એપલે સરકારના નિર્ણયને પાલન કરવાનો ઇનકાર કર્યો કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય…
ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી
ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે. રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે? રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે: – ઇલેક્ટ્રિક વાહનોમાં – સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં – સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં –…
ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે કરી લાલ આંખ, 15 દિવસમાં જ ઉકેલ્યા આટલા કેસ
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ…












