“હર હર મહાદેવ! શ્રાવણના પવિત્ર મહિનાની ભક્તિમય શરૂઆત.”

શ્રાવણનો મહિનો: ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર, શિવમય બન્યું વાતાવરણ! હિન્દુ ધર્મમાં પવિત્ર શ્રાવણ માસનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ‘સાવન’ એટલે કે શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ સમગ્ર ભારતભરમાં વાતાવરણ શિવમય બની ગયું છે. ભક્તોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. કેમ ખાસ છે શ્રાવણ મહિનો? હિન્દુ પંચાંગ મુજબ, શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર મહિનામાં જે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાન ભોલેનાથની પૂજા કરે છે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સોમવારનું મહત્વ: શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે વ્રત રાખવાથી અને શિવલિંગ પર જલાભિષેક કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક તૈયારીઓ: દેશભરના મંદિરોને ફૂલો અને…