અમિત શાહ 22 એપ્રિલે ‘સેવ અર્થ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કરશે, ટકાઉ વિકાસ અને વાંસના ઉપયોગ પર ફોકસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 એપ્રિલ, મંગળવારે લાતુરમાં આયોજિત ‘સેવ અર્થ કોન્ક્લેવ’ (Save Earth Conclave) નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનું આયોજન ફોનિક્સ ફાઉન્ડેશન, લાતુર અને Indian Chamber of Food and Agriculture દ્વારા કરવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સામે વાંસ નવી દિશા કોન્ક્લેવમાં ખાસ કરીને આબોહવા પરિવર્તનને ધીમી ગતિ આપવા માટે વાંસ (bamboo) ની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની આર્થિક વપરાશક્ષમતા પર ચર્ચા થશે. મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને ટકાઉ વિકાસ પરના મુખ્યમંત્રી ટાસ્કફોર્સના અધ્યક્ષ પાશા પટેલે જણાવ્યું હતું કે, “આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે પર્યાવરણ બચાવીએ અને સાથે સાથે ખેતી અને ઉદ્યોગ જગતમાં વાંસનો વ્યાપક ઉપયોગ કરવો શરૂ કરીએ.” કોન્ક્લેવના મુખ્ય મુદ્દા: – વાંસના ઉત્પાદન અને ઉપયોગની સંભાવનાઓ – પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગોની સ્થાપના – ખેડૂતો…







