મોંઘી ખાંડ, કડવા તહેવાર: દેશમાં ખાંડના ભાવ કેમ વધ્યા? જાણો 5 મોટા કારણો

ભારતમાં તહેવારોની મોસમ એટલે મીઠાઈ, લાડુ, બરફી અને અન્ય મીઠી વાનગીઓની ભરમાર. રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી સુધી ખાંડની માંગમાં મોટો વધારો થાય છે. પરંતુ આ વખતે તહેવારોની મીઠાશ પર મોંઘવારીની કડવાશ છવાઈ શકે છે. દેશમાં ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને સરકારને બજારમાં પુરવઠો વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતમાં ખાંડના ભાવ બે મહિનામાં લગભગ 40 ટકા સુધી વધ્યા છે. વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે લગભગ એક દાયકામાં પ્રથમ વખત 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ આયાત 31 ઓક્ટોબર સુધી મંજૂર છે અને તેનો મુખ્ય હેતુ તહેવારોની સિઝન પહેલાં સ્થાનિક બજારમાં પુરવઠો વધારવાનો છે. ખાંડના ભાવ વધવા પાછળના…

PM મોદીના આગમનથી ઓમાન ‘મોદી.. મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઓમાન પ્રવાસ દરમિયાન મસ્કતમાં ભવ્ય સ્વાગત જોવા મળ્યું હતું. પીએમ મોદીના આગમન સાથે જ શહેર ‘મોદી, મોદી’ના નારાથી ગુંજી ઉઠ્યું. રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્રિરંગા લહેરાવીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી મસ્કત એરપોર્ટ પર ઉતરતાં જ ઓમાનના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈદ એરપોર્ટ પર વ્યક્તિગત રીતે હાજર રહી તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજાઈ હતી. ભારત-ઓમાન વચ્ચે વ્યૂહાત્મક સહકાર મજબૂત થવાના સંકેત આ બેઠકને ભારત અને ઓમાન વચ્ચે વધતા દરિયાઈ સુરક્ષા પડકારો અને સંરક્ષણ સહકારના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નિષ્ણાતો મુજબ, આ મુલાકાત બંને દેશો વચ્ચે એક મજબૂત અને વ્યૂહાત્મક ભાગીદારી…

20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster Risk Reduction – CBDRR) માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ₹507 કરોડથી વધુની રકમ મંજૂર કરી છે. પંચાયત સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બનશે ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં શરૂ કરાયેલું રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ હવે પંચાયત સ્તર સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિનો સામનો કરવા માટે સ્થાનિક સમુદાયોને સજ્જ બનાવવામાં આવે. ‘બોટમ-અપ’ અભિગમ પર ભાર આ કાર્યક્રમ હેઠળ નીચેથી ઉપરના અભિગમ (Bottom-up Approach) દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR)ની પ્રથાઓને શાસન માળખામાં એકીકૃત કરવામાં આવશે. સ્થાનિક જરૂરિયાતો અને…