PM મોદી આવશે અમદાવાદ: જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત, જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે. આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે. 2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર…
Bindia
- Breaking News , Treding News , ગુજરાત
- March 11, 2025
Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ
અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલે દાંડી સાઇકલ યાત્રાનો પ્રારંભ થશે.રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનો સંદેશ જન – જન સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના સંદેશ સાથે દાંડી સાયકલ યાત્રાની શરૂઆત થશે. દાંડી સાયકલ યાત્રામાં 1600 કરતા વધુ યુવાનો જોડાશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ ગુજરાત પ્રવાસન અને ગ્રીન રાઇડર્સ ક્લબના નેજા હેઠળ દાંડી સાયકલ યાત્રા યોજાશે. 12 માર્ચ બુધવાર સવારે 7 કલાકે દાંડી સાઇકલ યાત્રા ગાંધી આંશ્રમથી ગુજરાત વિધાપીઠ સવારે પહોંચશે. વિધાપીઠમાં દાંડી સાયકલ વીરોનું સ્વાગત કરી દાંડી રૂટ પર જ સાઇકલ યાત્રા પસાર થશે. આયોજકોએ સાઈકલ વીરોનાં ગ્રુપ પાડ્યા મુજબ યાત્રા 4 એપ્રિલ સુધી યોજાશે. આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને…








