‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત

ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે. સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ…

ભારતમાં ઓક્ટોબર મહિનાનો બેરોજગારી ડેટા જાહેર: કુલ દર 5.2% પર સ્થિર, જાણો વિગત

રાષ્ટ્રીય આંકડા કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના તાજા આંકડાઓ મુજબ, ઓક્ટોબર 2025માં ભારતનો કુલ બેરોજગારીનો દર 5.2% પર સતત બીજા મહિનાથી યથાવત રહ્યો છે. શ્રમબજારમાં થોડી ચેતનાશીલતા જોવા મળી છે, કારણ કે કામ કરતા અથવા નોકરી શોધતા લોકોની સંખ્યામાં આ મહિનામાં થોડો વધારો નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં રાહત ગામડાઓમાં રોજગારીની પરિસ્થિતિ સુધરતી નજરે પડે છે. સપ્ટેમ્બરના 4.6% બેરોજગારી દરમાં ઘટાડો થઈ ઓક્ટોબરમાં 4.4% થયો છે. આ મોસમી ખેતી અને ગ્રામિણ શ્રમમાર્ગોની માંગ વધવાથી શક્ય બન્યું છે. શહેરી વિસ્તારોમાં ચિંતાજનક દબાણ શહેરોમાં રોજગારીની તંગી વધી રહી છે. શહેરી બેરોજગારી 6.8% થી વધી 7%, જે તાજેતરમાં ત્રણ મહિનાનું ઊંચું સ્તર છે. શહેરોમાં નોકરી શોધનારાઓની સંખ્યા વધતી હોવાના કારણે સ્પર્ધા અને દબાણ વધ્યું છે.…