Gujarat : ગુજરાતના રોપ-વે પર 47 લાખથી વધુ યાત્રાળુઓ…
Gujaratના રોપ-વે યાત્રાધામો બન્યા આકર્ષણનું કેન્દ્ર: ગિરનાર, પાવાગઢ અને અંબાજીમાં 47 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો આનંદ -> Gujarat રોપ-વે પ્રવાસન : Gujaratના પવિત્ર યાત્રાધામો અને કુદરતી સૌંદર્યને વધુ સરળતાથી માણવા માટે રોપ-વે સેવાઓ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યના ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે આવેલી રોપ-વે સેવાઓનો લાભ લઈને વર્ષ 2025-26 દરમિયાન કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓએ ‘ઉડન ખટોલા’ની અનોખી સફરનો આનંદ માણ્યો છે. આ આંકડો Gujaratના ધાર્મિક પ્રવાસન અને આધુનિક સુવિધાઓની વધતી લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.સરકારી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોપ-વેનો 23.43 લાખથી વધુ યાત્રાળુઓએ ઉપયોગ કર્યો, જ્યારે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી રોપ-વેમાં 15.58 લાખથી વધુ લોકો પહોંચ્યા હતા. બીજી તરફ, જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ મુસાફરી કરી…






