‘140 કરોડ ભારતીયો અમારી સાથે હશે’, રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની આશા વ્યક્ત કરી
ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે, જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરશે ત્યારે 140 કરોડ ભારતીય તેમનું સ્વાગત કરશે. રવિવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષ પૂરા થવા પર એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી જેવા સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન હિટમેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરી હતી. -> રોહિતે જીતની આશા વ્યક્ત કરી હતી :- આ કાર્યક્રમમાં રોહિતે કહ્યું કે, T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ચાહકોની ભીડ જોઈને તેને T20 વર્લ્ડ કપની તીવ્રતાનો અહેસાસ થયો હતો. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના અંતિમ ચરણમાં પહોંચેલ ભારતીય કેપ્ટન 19 ફેબ્રુઆરીથી…







