ગ્વાટેમાલામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 15 લોકોના મોત; 19 ઘાયલ
મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક પેસેન્જર બસ નિયંત્રણ ગુમાવીને ઊંડી ખીણમાં ખાબકી હતી. સ્થાનિક ફાયર વિભાગના પ્રવક્તા લેઆન્ડ્રો અમાડોના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં 11 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ધુમ્મસ અને જોખમી રસ્તો બન્યો કારણ આ અકસ્માત સોલોલા વિભાગમાં કિલોમીટર 172 અને 174 વચ્ચે થયો હતો. આ વિસ્તાર તેની જોખમી ભૂગોળ અને વળાંકવાળા રસ્તાઓ માટે જાણીતો…
તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો
તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તિરુચિરાપલ્લીથી ચેન્નાઈ જઈ રહેલી રાજ્ય પરિવહન નિગમની બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરી રહી હતી ત્યારે અચાનક ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. અનિયંત્રિત બસ રોડ ડિવાઇડર પર ચઢી ગઈ અને તેને ઓળંગીને વિરુદ્ધ દિશામાં પહોંચી ગઈ હતી. વિરુદ્ધ દિશામાં પહોંચ્યા બાદ બસ ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી એક SUV અને એક કાર સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ખાનગી વાહનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં ઘટનાસ્થળે જ સાત લોકોના…
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના ગોરલાથુ ક્રોસ નજીક થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ સામેની દિશાથી આવી રહેલી ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ બાદ બસમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી ઊભી થઈ. પોલીસે જણાવ્યું કે હિરિયુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રક અચાનક ડિવાઈડર ઓળંગી ગઈ હતી અને સામે આવી રહેલી બસ સાથે અથડાઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે. પોલીસને શંકા છે કે ટ્રક…
ઈન્ડોનેશિયામાં ડિવાઈડર સાથે અથડાઈ બસ પલટી: 16 મુસાફરોના મોત, અનેક ઘાયલ
ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ટોલ રોડ પર બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી ગઈ, જેમાં 16 મુસાફરોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. આ બસ જકાર્તાથી જૂના શહેર યોગ્યાકાર્તા જતી હતી, જેમાં 34 લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત થયો. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમો તુરંત પહોંચી ગઈ અને મૃતકોના મૃતદેહોને રિકવર કર્યા. વધુ 18 ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમની હાલત ગંભીર છે. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી એ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે અનેક મુસાફરો ઉછળી ગયા અને બસમાં ફસાઈ ગયા હતા. એમ્બ્યુલન્સ દ્વારા પીડિતો અને મૃતકોને સારવાર માટે દૂર લઈ જવામાં આવ્યા. આ અકસ્માતને કારણે ઈન્ડોનેશિયાની માર્ગ…
નાંદોદમાં બે અકસ્માત: એકનું મોત, એકને ગંભીર ઇજા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક વ્યક્તિના મોત નીપજ્યા અને બીજી વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. પોલીસએ બંને મામલામાં ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 1: શહેરાવગામમાં અકસ્માત અંકિતભાઈ ધીરુભાઈ તેજાણી દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ, શહેરાવગામ ગામના રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના માતા પિતા ઉપર ટક્કર મારી હતી. આ ઘટના દરમિયાન પિતાજી ધીરુભાઈ મોહનભાઈ તેજાણીને ગંભીર ઇજા પહોંચી અને સારવાર દરમિયાન સુરત એઈમ્સ હોસ્પિટલમાં મોત નીપજ્યું. માતા ઉર્મીલાબેનને પણ ઇજા પહોંચી હતી. આ મામલે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માત 2: કુમસગામના ત્રણ રસ્તા પર બીજો અકસ્માત કુમસગામના ત્રણ રસ્તા પર થયો. મિતેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 18) અને અલ્પેશભાઈ દિનેશભાઈ ડુભીલ (ઉ.વ. 20) પોતાની હોન્ડા સાઇન મોટરસાયકલ પર અંકલેશ્વર તરફ…
કર્ણાટક: વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત 3ના મોત, જાણો વિગત
કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. મહંતેશ બિલાગી કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે રામદુર્ગથી કાલાબુરાગી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલટી ગઈ. અક્સીડન્ટની વિગતો અહેવાલો અનુસાર, મહંતેશ બિલાગી તેમના ભાઈ શંકર બિલાગી અને અન્ય એક વ્યક્તિ ઈરાના શિરસાંગી સાથે એક કૌટુંબિક લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જેવર્ગી તાલુકાના ગૌનાલી ક્રોસ પાસે અચાનક એક કૂતરો વાહનની સામે આવ્યો, અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો. આ કારણે કાર પલટી ગઈ અને ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. મહંતેશ બિલાગી કાલાબુરગીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરો તેમને…
મહારાષ્ટ્રના થાણેમાં ભયાનક અકસ્માત: બેકાબૂ કારએ અનેક વાહનોને અડફેટે લીધા, 4નાં મોત
થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં શુક્રવારે સાંજે એક દિલદહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. શહેરના ફ્લાયઓવર પર એક કાર ચાલકને અચાનક હૃદયરોગનો હુમલો આવતા કાર બેકાબૂ થઈ ગઈ અને સામેથી આવતા અનેક વાહનો સાથે અથડાઈને પલટી મારતા ચાર લોકોના મોત થયા છે. અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. CCTV ફૂટેજમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો અકસ્માતના CCTV ફૂટેજમાં દેખાય છે કે સાંજે 6:42 વાગ્યે ઝડપી ગતિએ આવી રહેલી કાર એકના પછી એક 4–5 વાહનો સાથે અથડાઈ ગઈ, જેમાં બે બાઇક પણ સામેલ હતી. અથડામણ એટલી ભીષણ હતી કે એક બાઇક સવાર હવામાં ઉછળી ફ્લાયઓવરની બીજી બાજુ જઈ પડ્યો. દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે સ્થાનિક લોકો વચ્ચે ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. મૃતકો અને ઘાયલો કાર…
અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત
અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા હતા. પ્રત્યક્ષ દર્શી અનુસાર, પૂર્વ સરપંચના પુત્ર એવા આ નાબાલિકે હ્યુન્ડાઈ વર્ના કાર ઝડપથી હંકારતા નિયંત્રણ ગુમાવ્યું હતું. આ અકસ્માતમાં રસ્તાની બાજુએ કામ કરતી એક ગર્ભવતી શ્રમિક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ શરૂ કરી ચુકી છે…
પુણેમાં ભીષણ અકસ્માત: નવલે બ્રિજ પર કન્ટેનર ટ્રકનો કહેર, 6નાં કરુણ મોત
પુણે-બેંગલુરુ હાઇવે પર આવેલા નવલે બ્રિજ પાસે ગુરુવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં એક બેકાબૂ કન્ટેનર ટ્રકે અનેક વાહનોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને અનેક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની વિગત પ્રાથમિક માહિતી અનુસાર, કન્ટેનર ટ્રકના બ્રેક ફેલ થવાને કારણે તે નિયંત્રણ બહાર ગયું હતું. અનિયંત્રિત ટ્રકે પહેલા ત્રણથી ચાર કારને ટક્કર મારી હતી, ત્યારબાદ રસ્તા પર ભારે ધડાકો સંભળાયો. ટક્કર બાદ બે થી ત્રણ વાહનોમાં આગ ભભૂકી ઉઠી, જેના કારણે અકસ્માત વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી ગયો. પુણે શહેર પોલીસના ઝોન 3ના ડીસીપી સંભાજી કદમે જણાવ્યું કે, “બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ…
















