દિલ્હીમાં H1N1નો વધતો ખતરો: 2,300થી વધુ કેસ વચ્ચે CM રેખા ગુપ્તાની ઈમરજન્સી બેઠક

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ અને દિલ્હી સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3,000 ઈન્ફ્લુએન્ઝાના કેસ નોંધાયા છે, જેમાંથી 2,308 કેસ H1N1ના હોવાનું આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ ઉપરાંત MCD, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય હેતુ H1N1 અને મોસમી ઈન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ, બેડ, દવાઓ, તબીબી સ્ટાફ અને દર્દીઓની સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. સરકારનો દાવો- પરિસ્થિતિ નિયંત્રણમાં આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. તેમના…

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા

વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે હવે માન્ય PUCC (Pollution Under Control Certificate) વિના કોઈપણ વાહનને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો પર સીધી અસર કરશે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલીમાં કાયમી સુધારો લાવશે. ₹100 કરોડથી દિલ્હીના જળસ્ત્રોતોનું પુનર્જીવન કેબિનેટે દિલ્હીના જળસ્ત્રોતોના પુનર્જીવન માટે ₹100 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં આશરે 1,000 જળસ્ત્રોતો છે, જેમાંથી લગભગ 160 જળસ્ત્રોતો દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અગાઉ ડીપીસીસી દ્વારા ₹19 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે…