કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાનો મામલો, સંજય રોય દોષીત જાહેર, સોમવારે થશે સજાનું એલાન

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સંજય રોયને દોષી ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. -> મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો – સંજય રોય :- આરોપી સંજયે જજને કહ્યું, “મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આ કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. એક IPS અધિકારી આમાં સામેલ છે.”મહત્વનું છે કે 9 ઓગસ્ટ 2024 ની સવારે, ઉત્તર કોલકાતાની સરકારી મેડિકલ કોલેજ આરજી કરમાં એક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનો મૃતદેહ અનેક ઈજાના નિશાનો સાથે મળી આવ્યો હતો. -> આ કલમો હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે :- કોર્ટનું…