લઘુમતીઓ અંગેની ટિપ્પણી પર MEAનો જડબાતોડ જવાબ, કહ્યું – પાકિસ્તાન પહેલા પોતાનો રેકોર્ડ જોઈ લે
ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા પાકિસ્તાનને આત્મમંથન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર આક્ષેપો કરવા પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કેટલી ગંભીર છે અને પાકિસ્તાન પોતાનું સત્ય છુપાવી શકતું નથી. પાકિસ્તાનની ટિપ્પણીઓ પર ભારતની સ્પષ્ટતા હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાય સામે હિંસા વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ…







