શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક 22 જુલાઈએ મળશે, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા
અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 22 જુલાઈએ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠક દરમિયાન રામ મંદિરના ચઢાવા (દાન) સાથે જોડાયેલા કથિત ગેરરીતિના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો અંતિમ અહેવાલ ઉપલબ્ધ હશે તો તેના પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ટ્રસ્ટની વિવિધ સમિતિઓની પુનઃરચના અને અગાઉની બેઠકોની કાર્યવાહીને મંજૂરી આપવાનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ છે. તાજેતરમાં રામ મંદિરના દાનમાં કથિત ચોરીના આરોપો સામે આવ્યા બાદ ટ્રસ્ટની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને મંદિરના સંચાલનને વધુ પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ચઢાવાની ગેરરીતિ બાદ SITની તપાસ અયોધ્યાના રામ મંદિરમાં દેશ-વિદેશમાંથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ફરકાવ્યો ધર્મધ્વજ, કર્યા રામ લલ્લાના દર્શન
પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે આજે અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા અને રામ દરબારમાં પ્રાર્થના પણ કરી. પીએમ નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવ્યો, જે મંદિરના નિર્માણની પૂર્ણાહુતિ દર્શાવે છે. 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો, કાટખૂણાવાળો ત્રિકોણાકાર ધ્વજ ભગવાન શ્રી રામના મહિમા અને પરાક્રમનું પ્રતીક છે. રામ મંદિરમાં ધ્વજ ફરકાવતાની સાથે જ ભક્તો આનંદથી ઉમટી પડ્યા. “જય શ્રી રામ” ના નારાઓથી સમગ્ર વાતાવરણ રામની ભાવનાથી ભરાઈ ગયું. આ પ્રસંગે ઉત્તર…








