રેલવે મુસાફરો માટે ખુશખબર: IRCTCએ ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કર્યું, 3000 વધારાના કોચ ઉમેરાયા
દિવાળી પહેલા રેલવે દ્વારા મુસાફરો માટે મોટી રાહત આપવામાં આવી છે. તહેવારો દરમિયાન વધતી મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉત્તર રેલવે દ્વારા ‘કોચ રિગ્રેટ’ સ્ટેટસ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સાથે જ મુસાફરોની સુવિધા માટે 3000 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનાથી 30 લાખ વધારાની બર્થ ઉપલબ્ધ કરાઈ છે. શું છે કોચ રિગ્રેટ સ્ટેટસ? હવે સુધી, જ્યારે ટ્રેનની તમામ સીટો ભરાઈ જાય, ત્યારે ‘રિગ્રેટ’ સ્ટેટસ બતાવવામાં આવતું હતું અને ટિકિટ બુકિંગ બંધ થતું. પણ હવે, વધારાના કોચ ઉમેરવાથી એ સ્થિતિમાંથી રાહત મળશે. ટિકિટ તારીખ બદલી શકાશે – વધુ ચાર્જ નહિ! રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે – હવે કન્ફર્મ ટિકિટની તારીખ બદલવા પર કોઈ કેન્સલેશન ચાર્જ ન લગાશે. આ સુવિધા જાન્યુઆરી…
કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા
ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ ચૂકવીયા વિના મુસાફરીની તારીખ બદલી શકશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું એલાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક જાહેર નિવેદનમાં જણાવ્યું કે, “મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને વધુ લવચીકતા અને સરળતા પૂરી પાડવાનો છે. અગાઉ, મુસાફરીના પ્લાનમાં બદલાવ થવાથી મુસાફરોને ટિકિટ રદ કરવાની મજબૂરી પડતી હતી અને ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. હવે, એ સમસ્યા દૂર થઈ જશે.” નવી સુવિધા કેવી રીતે કામ કરશે? – મુસાફરોને જો નવી તારીખે સીટ ઉપલબ્ધ હોય તો, મુસાફરીની તારીખ બદલી શકાશે – જો નવું ભાડું વધુ હશે, તો તફાવત ચૂકવવો પડશે – જો…
Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત
નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. મૃતકોની ઓળખ કરવામાં આવી મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા. પોલીસ તપાસ ચાલુ આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાવચેત રહેવા રેલવેની…










