અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં ફરિયાદી દ્વારા દાખલ અરજીના આધારે આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે દેવાયત ખવડને જામીન મંજૂર કર્યો હતો, પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા તેના રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન રદ કરવા પાછળનો કારણ ફરિયાદીની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો છે. હવે લોકસાહિત્યકાર માટે કાયદાકીય માર્ગો મર્યાદિત થઈ ગયા છે. કોર્ટનો આદેશ દેવાયત ખવડ ફરજિયાતપણે એક મહિનાની સમયમર્યાદામાં ચાંગોદર પોલીસ મથક…