બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ફરી સત્તામાં વાપસી કરશે, તેવો અનુમાન મોટાભાગની એજન્સીઓએ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલના સંકલિત આંકડા મુજબ: NDA ને 147 થી 167 બેઠકો મળવાની શક્યતા છે. મહાગઠબંધન (રાષ્ટ્રીય જનતા દળ + કોંગ્રેસ) ને 70 થી 90 બેઠકો મળી શકે છે. અન્ય નાના પક્ષો, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) પણ શામેલ છે, તેમને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ આંકડા સૂચવે છે કે NDA…

બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત

બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે કિશોરે પોતાની ટિપ્પણી બદલ જાહેર રીતે બિનશરતી માફી માંગવી પડશે – નહીંતર કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવશે. જમીન વ્યવહારમાં અનિયમિતતાના આરોપોનો દાવો વિવાદની શરૂઆત થઈ હતી જ્યારે પ્રશાંત કિશોરે પટણામાં આયોજિત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે અશોક ચૌધરી ₹200 કરોડની જમીન ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા છે. તેમના આ નિવેદનને “બિનઆધારભૂત અને માનહાનિકારક” ગણાવીને, ચૌધરીએ તેમના વકીલ કુમાર અંજનાય શાનુ દ્વારા લિગલ નોટિસ પાઠવી છે. નોટિસમાં શું માંગવામાં આવ્યું છે? નોટિસમાં નીચે મુજબ બાબતો રજૂ કરવામાં આવી છે: – પ્રશાંત કિશોરે સાબિત કરવો પડશે…