બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે કિશોરે પોતાની ટિપ્પણી બદલ જાહેર રીતે બિનશરતી માફી માંગવી પડશે – નહીંતર કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવશે. જમીન વ્યવહારમાં અનિયમિતતાના આરોપોનો દાવો વિવાદની શરૂઆત થઈ હતી જ્યારે પ્રશાંત કિશોરે પટણામાં આયોજિત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે અશોક ચૌધરી ₹200 કરોડની જમીન ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા છે. તેમના આ નિવેદનને “બિનઆધારભૂત અને માનહાનિકારક” ગણાવીને, ચૌધરીએ તેમના વકીલ કુમાર અંજનાય શાનુ દ્વારા લિગલ નોટિસ પાઠવી છે. નોટિસમાં શું માંગવામાં આવ્યું છે? નોટિસમાં નીચે મુજબ બાબતો રજૂ કરવામાં આવી છે: – પ્રશાંત કિશોરે સાબિત કરવો પડશે…








