પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ
ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧ ફેબ્રુઆરીએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે તેમજ રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૦૨ ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે.…
ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ
રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં રાત્રે 1.11થી 1.28 સુધીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા. ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે મોડી રાતથી અત્યાર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી તરફ રાત્રિના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ રાહતની વાતએ છે કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોરબંદરમાં અનુભવાયા 6 આંચકા ISRના ડેટા મુજબ જો ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો તાલાલામાં આજે સવારે 10.51 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 3.1…
વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ
ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તાજું અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર…
સૂચિત ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં હડતાલનું એલાન
B India પોરબંદર : પોરબંદરમાં ખારવા સમાજની વિવિધ સ્થાનિક સંસ્થાઓએ સૂચિત જેતપુર – ગોસા ડીપ-સી પાઇપલાઇનના વિરોધમાં આજે (26 ડિસેમ્બર) પોરબંદરમાં અડધા દિવસની હડતાલની જાહેરાત કરી છે. માછીમારોએ તાજેતરમાં જ આ પ્રોજેક્ટ સામે એક પ્રભાવશાળી રેલી પણ યોજી હતી. આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ અંતર્ગત જેતપુર સ્થિત કાપડ ઉદ્યોગના એકમોમાં ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીના નિકાલ માટે પોરબંદરના દરિયાકાંઠે ઊંડા સમુદ્રની પાઇપલાઇનની દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદરના માછીમારોનો મત છે. કે આ પ્રકારની પાઇપલાઇન યોજનાથી માછીમારી ઉદ્યોગ નાશ પામશે કારણ કે પ્રદૂષિત પ્રવાહી માછલીઓને નુકસાન પહોંચાડશે. સ્થાનિકોની દલીલ છે કે જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયાકાંઠેથી શા માટે ફેંકી દેવું જોઈએ! સ્થાનિકો એમ પણ માને છે કે માછીમારી ઉદ્યોગ એ પોરબંદરની કરોડરજ્જુ છે અને જેતપુરનું પ્રદૂષિત પાણી શહેર અને તેના…











