સૂચિત ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં હડતાલનું એલાન

B India પોરબંદર : પોરબંદરમાં ખારવા સમાજની વિવિધ સ્થાનિક સંસ્થાઓએ સૂચિત જેતપુર – ગોસા ડીપ-સી પાઇપલાઇનના વિરોધમાં આજે (26 ડિસેમ્બર) પોરબંદરમાં અડધા દિવસની હડતાલની જાહેરાત કરી છે. માછીમારોએ તાજેતરમાં જ આ પ્રોજેક્ટ સામે એક પ્રભાવશાળી રેલી પણ યોજી હતી.

આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ અંતર્ગત જેતપુર સ્થિત કાપડ ઉદ્યોગના એકમોમાં ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીના નિકાલ માટે પોરબંદરના દરિયાકાંઠે ઊંડા સમુદ્રની પાઇપલાઇનની દરખાસ્ત કરવામાં આવી છે. પોરબંદરના માછીમારોનો મત છે.

કે આ પ્રકારની પાઇપલાઇન યોજનાથી માછીમારી ઉદ્યોગ નાશ પામશે કારણ કે પ્રદૂષિત પ્રવાહી માછલીઓને નુકસાન પહોંચાડશે. સ્થાનિકોની દલીલ છે કે જેતપુરનું પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયાકાંઠેથી શા માટે ફેંકી દેવું જોઈએ! સ્થાનિકો એમ પણ માને છે કે માછીમારી ઉદ્યોગ એ પોરબંદરની કરોડરજ્જુ છે અને જેતપુરનું પ્રદૂષિત પાણી શહેર અને તેના જીવંતપણાનો નાશ કરશે.

Related Posts

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો: આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. India Meteorological Department દ્વારા આગામી 24 કલાક માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ…

24 હજાર દર્દીઓને જીવનદાયી સહારો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹2.39 કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત

રાજ્યના અંતિમ પંક્તિના, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય વિષયક સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા બિન-ચેપી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *