અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું, પરેશ ધાનાણીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ
B india અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. પાટીદાર દીકરી સાથે થયેલ અન્યાય સાખી નહીં લેવાય તેવી ધાનાણીએ ચિમકી ઉચ્ચારી છે. પાયલની પડખે રહેનાર પરેશ ધાનાણીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પાયલનો વરઘોડો કાઢનારા સામે પગલા લેવાની ઉગ્ર માંગ કરતા આંદોલનની ચીમકી આપી છે. -> ધાનાણીનું સરકારને અલ્ટીમેટમ :- કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અલ્ટીમેટમ આપ્યું. ધાનાણી કહ્યું કે, 24 કલાકની અંદર આ મામલે પગલા નહીં લેવાય તો આ આંદોલન ફક્ત અમરેલી પૂરતું સીમિત રહેશે નહીં. ધાનાણીએ પાયલ ગોટી સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ લડાઈ ફક્ત માત્ર પાયલ ગોટી કે…







