ગાંધીનગર: વૈભવ મનવાણી હત્યા કેસના સાયકો કીલરનું એન્કાઉન્ટર, પોલીસની રિવોલ્વર ખેચી અને …

ગાંધીનગર અડાલજ નજીક થયેલ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારે આજે આરોપીને રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાયકો કીલરનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. હત્યાના આરોપી વિપુલ પરમારને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આરોપી વિપુલે પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આરોપી સાયકો કીલર વિપુલે જ્યાં મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન…