8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર, કેટલા કર્મચારીનો કેટલો વધશે પગાર?

કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી ગ્રુપ A, B, C અને Dના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પેન્શનરોના પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોના અમલની રાહ જોઈ રહ્યા છે. નવું પગાર ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે વર્તમાન બેસિક સેલેરીને ગુણાકાર કરીને નવી બેસિક સેલેરી નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર શું છે? ફિટમેન્ટ એ એક ગુણાંક છે, જેના આધારે વર્તમાન પગારને ગણતરી કરીને નવી પગારરકમ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે 6ઠ્ઠા પગાર પંચમાં 7,440 રૂપિયા નાં પગાર વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો. 8મા પગાર પંચના અંદાજિત પગાર વધારો: ફિટમેન્ટ ફેક્ટર 2.15 પર: – લેવલ 1…

69 લાખ પેન્શનરોને ઝટકો! નહીં મળે 8માં પગાર પંચનો લાભ?

સરકારે તાજેતરમાં 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) માટે સંદર્ભ શરતો (ToR) જાહેર કરી છે. આ પછી, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) એ આ મુદ્દે ચિંતાજનક નિવેદન કર્યું છે. AIDEFનો દાવો છે કે લાખો કેન્દ્ર સરકારના પેન્શનરો અને પરિવાર પેન્શનરોને 8મા CPCના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. AIDEF શું કહે છે? ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, AIDEFએ સરકાર દ્વારા જાહેર કરાયેલા ToR સામે વાંધો ઉઠાવ્યો છે. તેઓ જણાવે છે કે લગભગ 6.9 મિલિયન કેન્દ્રીય પેન્શનરો અને પરિવાર પેન્શનરો 8મા પગાર પંચના લાભમાંથી બહાર રહેવાના છે. નાણા મંત્રાલયને લખેલા પત્રમાં, AIDEFએ જણાવ્યું, “30 વર્ષથી વધુ સમયથી દેશની સેવા કરનારા પેન્શનરોને 8મા CPCમાં સમાવેશ ન કરવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. પેન્શન સુધારણા તેમના અધિકારનો ભાગ છે અને તેમના સાથે…