દિલ્હીમાં મુખ્યમંત્રી પસંદ કરવાને લઇને ભાજપના નેતાઓ શું કહે છે તે જાણો ,

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રીની પસંદગી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી થવી જોઈએ. તેમણે કહ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ઘણા સક્ષમ નેતાઓ છે, જેમાં રાજ્ય ભાજપના બે પૂર્વ પ્રમુખો, પક્ષના એક રાષ્ટ્રીય સચિવ અને ઘણા પૂર્વ રાજ્ય અધિકારીઓનો સમાવેશ થાય છે જેમને લાંબો રાજકીય અનુભવ છે. -> વરિષ્ઠ નેતાઓએ શું કહ્યું? :- ભાજપના દિલ્હી એકમના અન્ય એક વરિષ્ઠ નેતાએ પણ નવા ચૂંટાયેલા ધારાસભ્યો (પક્ષના)માંથી એકને મુખ્ય પ્રધાન બનાવવાની હિમાયત કરી, અને કહ્યું કે આ પક્ષને આપવામાં આવેલા આદેશનું સન્માન ગણાશે. ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આવા ઉદાહરણો રજૂ કર્યા છે. વરિષ્ઠ નેતાએ કહ્યું કે 2008 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી…