સુરતમાં ધરણા પહેલાં જ પરેશ ધાનાણીની અટકાયત, પોલીસ કાફલો માનગઢ ચોક ખાતે ખડકાયો

B india સુરત :- સુરતમાં ધરણા પહેલાં જ પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. મરેલીમાં લેટરકાંડ મામલે સુરતમાં આજે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પોતાનો વિરોધ રજુ કરવા પહોંચ્યા હતા. નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણાં કરવાના હતા. પરંતુ આ ધરણા માટે મંજૂરી આપવામાં આવી નહોતી. જેના કારણે પોલીસે ધરણાં પહેલાં જ પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત સહિત 40થી 50 લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનિય છે કે,અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીનું પોલીસે સરઘસ કાઢયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી અને અન્ય નેતાઓએ અમરેલીમાં ધરણા પર ઉતર્યા બાદ પારણા કર્યા અને ત્યારબાદ વચન આપ્યું હતુ કે સુરતના વરાછામાં પણ ધરણા કરીશું પરંતુ સુરતની વરાછા પોલીસે આ મામલે…