પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ

ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ માટે “ભારત પ્રાયોજિત આતંકવાદી સંગઠનો”ને જવાબદાર ઠેરવ્યા છે અને કહ્યું કે આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને અસ્થિર બનાવવાનો છે. પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી APP (Associated Press of Pakistan) અનુસાર, શરીફે અફઘાન સરહદ નજીકના વાનામાં આવેલી કેડેટ કોલેજ પર થયેલા હુમલામાં પણ નવી દિલ્હીની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. APP એ તેમને ટાંકીને કહ્યું કે, “આ હુમલાઓ ભારત-પ્રાયોજિત આતંકવાદનો ભાગ છે.” વિશ્લેષકોનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાનનું આ નિવેદન દેશની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું આવ્યું છે અને હવે…

પાકિસ્તાન : પરમાણુ બટનથી લઈને તમામ નિર્ણય હવે સેનાના હાથમાં?, અસીમ મુનીર બનશે પાકિસ્તાનના “સુપર પીએમ”

પાકિસ્તાનમાં સૈન્યને વધુ શક્તિ આપવાનો એક ઐતિહાસિક અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનના બંધારણમાં 27મો સુધારો (27th Constitutional Amendment) રજૂ કરવાની તૈયારીમાં છે, જેના કારણે આર્મી ચીફ અસીમ મુનીરને દેશનો પ્રથમ “ફિલ્ડ માર્શલ” બનાવવામાં આવશે અને તેમને અમર્યાદિત સત્તાઓ મળશે. આ સુધારો પસાર થયા બાદ, પાકિસ્તાનમાં સૈન્યને પરમાણુ હુમલા સહિતના તમામ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં અંતિમ શબ્દ મળશે એટલે કે, પરમાણુ બટનથી લઈને નીતિ નિર્ણય સુધી સૈન્યનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. ફિલ્ડ માર્શલ પદથી શરૂ થશે “નવો પાકિસ્તાન” સૂત્રો અનુસાર, આ સુધારો 7 નવેમ્બરે સેનેટમાં રજૂ થવાનો છે, અને તે ટૂંક સમયમાં પસાર થવાની શક્યતા છે. નવી જોગવાઈઓ અનુસાર ફિલ્ડ માર્શલ નામનું નવું બંધારણીય પદ બનાવવામાં આવશે, જેનો કાર્યકાળ રાષ્ટ્રપતિ…

PIA એન્જિનિયરોની હડતાળ: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ, પગાર વિવાદ ઉગ્ર

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની આંતરરાષ્ટ્રીય સેવાઓ સોમવાર રાત્રે 8 વાગ્યાથી સ્થગિત થઈ ગઇ છે. એન્જિનિયરો પગાર વધારાની માંગ સાથે અચાનક કામ બંધ કરવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય રાહ જોવી પડી રહી છે. લાહોરથી મદીના, ઇસ્લામાબાદથી જેદ્દાહ અને કરાચી જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઇ છે. 8 વર્ષનો પગાર વિવાદ: સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયરો ઓફ પાકિસ્તાન (SAEP)એ જણાવ્યું કે છેલ્લા 8 વર્ષથી તેમની પગાર વધારો થયું નથી. ઘણા મહિનાઓ એન્જિનિયરો કાળી પટ્ટી પહેરીને કામ કરે છે, પરંતુ મેનેજમેન્ટની નકારાત્મકતા પગાર વધારાના હેતુને રોકી રહી છે, જેના કારણે હડતાળ ફરજિયાત બની. મેનેજમેન્ટની ચેતવણી: PIAના CEOએ આ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે. હડતાળ ચાલુ રાખનાર એન્જિનિયરો સામે કડક કાનૂની કાર્યવાહી થશે. PIAના પ્રવક્તાએ જણાવ્યું કે હડતાળ પાછળનો હેતુ એરલાઇનની…

ચોંકાવનારો દાવો: અફઘાન લશ્કરી વિશ્લેષકોએ પાકિસ્તાનમાં ISIS-ખોરાસનના તાલીમ કેન્દ્રો કાર્યરત હોવાનો આરોપ કર્યો

અફઘાનિસ્તાનના લશ્કરી વિશ્લેષકોએ એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ–ખોરાસન (ISIS-K)ના તાલીમ કેન્દ્રો આજેય પાકિસ્તાનની ધરતી પર કાર્યરત છે. અફઘાન મીડિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાન વારંવાર આવા આક્ષેપોને નકારી રહ્યું છે, છતાં અફઘાન નિષ્ણાતોનું કહેવું છે કે ISIS-K ત્યાં સુરક્ષિત આશ્રયસ્થાન અને મજબૂત નેટવર્ક જાળવી રાખે છે. પેશાવરમાં ISIS-Kના વરિષ્ઠ નેતાનું મૃત્યુ તાજેતરમાં પાકિસ્તાનના પેશાવરમાં બનેલી એક ઘટનાએ આ દાવાઓને વધુ મજબૂત બનાવ્યા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, નુસરત ઉર્ફે અબુ ઝાર, જે ISIS-Kનો વરિષ્ઠ કમાન્ડર માનવામાં આવે છે, તેનું તાજેતરમાં પેશાવરમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ્સ અનુસાર, અબુ ઝારએ ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન કાબુલમાં થયેલા અનેક આતંકી હુમલાઓનું આયોજન કર્યું હતું. તે પાકિસ્તાનમાં ISIS-Kના તાલીમ કેન્દ્રો અને નેટવર્કનું નેતૃત્વ કરતો હતો. પકડાયેલા આતંકવાદીની કબૂલાત…