Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત
અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે. અને શાળાઓમાં જરૂરિયાત મુજબ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ પણ વાંચો :- Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું 450 શાળામાં IEC ડિસ્પ્લે મુકવામાં આવશે. આ ડિસ્પ્લેમાં ગરમીમાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપવામાં આવનાર છે. ત્યારે શિક્ષણ સમિતિના આ નિર્ણયના કારણે વિદ્યાર્થી પાણી પીવાનું ભૂલી નહીં શકે. ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો…







