નિર્મલા સીતારમણની મધ્યમ વર્ગને મોટી ભેટ, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જેની સીધી અસર દેશની સામાન્ય જનતા પર પડશે. આવકવેરા મુક્તિ મર્યાદા વધારવામાં આવે તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી. -> જાણો હવે કેવી રીતે વસૂલવામાં આવશે ટેક્સ :- 12 થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જ્યારે 16 થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ સિવાય 24 થી 30 લાખ રૂપિયાની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. એટલે કે સરકાર 25 ટકાનો નવો સ્લેબ લાવશે. નવો ટેક્સ લગાવ્યા બાદ 18 લાખ રૂપિયા સુધીની આવક પર વાર્ષિક 70,000 રૂપિયાની બચત થશે.…