કેન્દ્રીય બજેટ 2026: FM નિર્મલા સીતારમણનું સેમીકન્ડક્ટર માટે 40,000 કરોડનું મોટું એલાન, જાણો વિગત
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રવિવારે ભારતનું નવું બજેટ 2026 રજૂ કર્યું છે. આ તેમનું નવમું બજેટ છે અને ઈતિહાસમાં તે પ્રથમ નાણામંત્રી બનશે જેમણે નવમું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર ભારતને સેમીકન્ડક્ટર હબ બનાવવા માટે ₹40,000 કરોડ ફાળવી રહી છે. તેમણે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 શરૂ કરવાની પણ જાહેરાત કરી. આ મિશન હેઠળ: ટેકનોલોજી અને કુશળ કામદારોની તાલીમ માટે ઇન્ડસ્ટ્રી-લેડ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર્સ તૈયાર કરવામાં આવશે. ભારતીય IP અને ઉપકરણો/સામગ્રીના ઉત્પાદન માટે સંપૂર્ણ સ્કેલ પાઇપલાઇન વિકસાવવામાં આવશે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બજેટ રજૂ થવાના પહેલા કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠક મળી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને નાણામંત્રી…
બજેટમાં જામનગરને મળી મોટી ભેટ, આયુર્વેદિક મેડિકલ સેન્ટરનું એલાન; દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત યુનિયન બજેટ રજૂ કર્યું, જેમાં વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના જામનગર માટે કરવામાં આવેલી જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. જામનગર માટે ખાસ જાહેરાત બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી કે જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ સેન્ટર માત્ર સારવાર પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આયુર્વેદિક સંશોધન, શિક્ષણ અને દવાઓના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરનું હબ બનશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે ઓળખાય છે, તેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદિક AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે આયુર્વેદિક…
ભારતના GDPમાં FY26ના Q2માં 8.2% વૃદ્ધિ, અર્થતંત્ર ફરી મજબૂત પકડમાં
ભારતનું અર્થતંત્ર ફરી મજબૂત સ્થિતિમાં પ્રવેશ્યું છે. FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ભારતનો GDP 8.2% વૃદ્ધિ સાથે આગળ વધ્યો છે, જ્યારે પહેલા ત્રિમાસિકમાં આ વૃદ્ધિ 7.8% હતી. અર્થશાસ્ત્રીઓએ આ વખતે 7.3% વૃદ્ધિનો અનુમાન લગાવ્યો હતો, જ્યારે RBI અને સરકાર બંનેએ પહેલા 7% માન્યું હતું. સરકાર દ્વારા GSTમાં કાપ, તહેવાર પહેલાં સ્ટોકિંગ વધારવું અને ગ્રામીણ વિસ્તારોમાં માંગને પ્રોત્સાહન આપવા જેવા પગલાં આ વિકાસ દરને ઊંચો લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. પ્રાઇમરી સેક્ટર (કૃષિ અને માઇનિંગ)માં વૃદ્ધિ: – કૃષિ ક્ષેત્રમાં 3.5% વૃદ્ધિ, ગયા વર્ષની તુલનામાં થોડી ધીમી – માઇનિંગ સેક્ટરમાં સ્થિરતા, માત્ર 0.04% ઘટાડો – ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધાર અને સારા વરસાદના કારણે ખેતી સાથે જોડાયેલી ગતિવિધીઓ મજબૂત નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ જણાવ્યું છે કે, GSTમાં અપાયેલી છૂટ બાદ…










