NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ
શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ ‘મા મહાગૌરી’ની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરીને શુદ્ધતા, શાંતિ અને આશીર્વાદોની દેવી માનવામાં આવે છે. મા મહાગૌરી: શાંતિ અને શક્તિનું દૈવી સ્વરૂપ મા મહાગૌરીનું રૂપ અતિ તેજસ્વી અને ગુણાત્મક છે. તેમનો રંગ ગોરો છે, જેમ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો જેવો. માતાજીના ચાર હાથ છે, તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યાં છે અને તેઓ વૃષભ (બળદ) પર સવાર છે. એક હાથમાં ત્રિશૂળ, એકમાં ડમરૂ, અને બે હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં છે. મહાગૌરીની આરાધનાથી ભક્તોના પાપ દૂર થાય છે અને દુર્લભ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય…
ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા
ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સતત ખાબકેલા વરસાદના કારણે રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ગરબા જેવા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિને જોઈને આજના તમામ ગરબા કાર્યક્રમો રદ કરવા પડયા. વરસાદ સાથે પવન પણ ગતિશીલ હોવાને કારણે બેનરો અને ડેકોરેશન ધરાશાયી થઈ ગયાં. સાબરકાંઠા (હિંમતનગર): હિંમતનગરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ગરબા માટે નક્કી કરાયેલ જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા. બેનરો અને મંચના ડેકોરેશન પવન…
NAVRATRI 2025 ; નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો આરતી અને મંત્ર વિષે
નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું નામ “ચંદ્રઘંટા” પડ્યું છે. તેમનું સ્વરૂપ શાંતિદાયી છે પણ દુષ્ટો માટે રૌદ્રરૂપ ધારણ કરે છે. માતાજી દસ હાથ ધરાવે છે અને સિંહ પર આરૂઢ છે. પૂજા વિધી નવરાત્રીના ત્રીજા દિવસે શ્રદ્ધાથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવી. ધુપ, દીવો, ફૂલો અને દૂધથી બનેલા પ્રસાદ સાથે માતાને ભોજન ધરાવવું. માતા ચંદ્રઘંટાના મનપસંદ પ્રસાદ: કેસર પેંડા સામગ્રી: – 4 કપ ખોયા –…









