વિશ્વપ્રસિદ્ધ ‘ૐ પર્વત’ પર બરફ ઓગળી રહ્યો છે: પર્યાવરણવિદો ચિંતિત
હિમાલયની પવિત્ર અને કુદરતી રીતે બરફથી રચાતી ‘ૐ’ આકૃતિ માટે જાણીતા ‘ૐ પર્વત’ પરથી બરફ ઓગળી રહ્યો છે અને પર્વત કાળો પડતો જાય છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓમાં ભારે ચિંતા સર્જી છે. પર્વત પર અસરના કારણો – પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પાછળના મુખ્ય કારણો છે: – ગ્લોબલ વોર્મિંગ અને વૈશ્વિક તાપમાનમાં વધારો – ઉંચાઈવાળા વિસ્તારોમાં માનવીય પ્રવૃત્તિ અને પર્યટન દબાણ – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને અવ્યવસ્થિત વિકાસ નિષ્ણાતોનું માનવું છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે અને માનવીય હસ્તક્ષેપ ઓછો ન કરવામાં આવે, તો આ દુર્લભ પ્રાકૃતિક ધરોહર કાયમ માટે લુપ્ત થઈ શકે છે. પર્યાવરણ અને પર્યટન માટે ચેતવણી – હિમાલયની ટોચ પર વધી રહેલી માનવીય પ્રવૃત્તિઓ સાથે બરફ ઓગળવાની ઝડપ વધી રહી…
અરવલ્લી પર્વતમાળાને બચાવવા ગુજરાતમાં અભિયાન, સુપ્રીમ કોર્ટે આપી નવી વ્યાખ્યા
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. અરવલ્લી રણપ્રદેશ માટે લોકો ભયભીત છે અને ચુકાદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. નેતાઓ, સ્થાનિકો અને સાધુ-સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના દાવો અનુસાર, જો પર્વતો દૂર થાય તો અસ્તિત્વ પર જોખમ ઉભું થશે. કોંગ્રેસે અરવલ્લી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતોની નવી વ્યાખ્યા મંજૂર થતા વ્યાપક વિવાદ થયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર ખનન માટે ખોટો સંકેત નથી. રક્ષણિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ રહેશે. રાષ્ટ્રીય હિતમાં જરૂરી, રણનીતિક અથવા ઊડાણમાં સ્થિત ખનીજ માટે મર્યાદિત મુક્તિઓ જ આપવામાં આવશે. પર્યાવરણ…








