જાપાનમાં નવા વર્ષની ‘ધ્રૂજતી’ શરૂઆત: નોડા વિસ્તારમાં 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જાપાનમાં ફરી એકવાર કુદરતી આફતે દસ્તક આપી છે. બુધવાર અને ગુરુવારની મધરાત્રિએ સ્થાનિક સમય મુજબ 12:26 વાગ્યે, જાપાનના પૂર્વી નોડા (Noda) વિસ્તારના દરિયાકાંઠે 6.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી આશરે 19.3 કિમીની ઊંડાઈએ હતું. રાત્રિના સમયે આવેલા આ આંચકાથી અનેક વિસ્તારોમાં ઈમારતો ધ્રુજવા લાગી હતી અને ઘરોમાં રાખેલો સામાન નીચે પડ્યો હતો. ભયભીત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકા મિયાકો શહેરથી લગભગ 96 કિમી દૂર દરિયામાં નોંધાયા હતા, જેની અસર હચિનોહે અને કામાઈશી જેવા શહેરોમાં પણ અનુભવાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ ભૂકંપ બાદ કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને અત્યાર સુધી કોઈ મોટી…
તાઈવાનમાં 7ની તીવ્રતા સાથે ભૂકંપના ઝટકા નોંધાયા, રાજધાની તાઈપેમાં પણ ઝટકા અનુભવાયા
તાઈવાનમાં શનિવારે મોડી રાત્રે ભયંકર ભૂકંપના ઝટકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્ર યિલાન શહેરથી લગભગ 32 કિલોમીટર દૂર દરિયાઈ વિસ્તારમાં હતું. ભારે ઝટકાના કારણે ગગનચૂંબી ઈમારતો પણ હલાઈ, અને લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા. રાજધાની તાઈપેમાં પણ અસર: રાજધાની તાઈપેમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા. રાષ્ટ્રીય અગ્નિશામક એજન્સી દ્વારા જણાવાયું છે કે હાલ જાનમાલના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તાઈવાન બે ટેક્ટોનિક પ્લેટોના જંક્શન પર આવેલું હોવાથી ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં મોટા ભૂકંપ: – 2016માં દક્ષિણ તાઈવાનમાં ભૂકંપ: 100થી વધુ જાનહાનિ – 1999માં 7.3 તીવ્રતા: 2,000થી વધુ લોકોના મોત ભૂકંપના ઝટકા બાદ યિલાનમાં લગભગ 3,000 ઘરોમાં વીજળી કેટલીકવાર બંધ રહી હતી. આ ઘટના તાઈવાનમાં ભૂકંપ સુરક્ષા અને…
તિબેટ ભૂકંપથી હચમચી ગયું, 3.5ની તીવ્રતા નોંધાઈ
તિબેટમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 8:29 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર ઊંડાઈએ હતું. NCS દ્વારા X (ટ્વિટર) પર શેર કરેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 28.51 ઉત્તર અને રેખાંશ 87.57 પૂર્વ વિસ્તારમાં આવેલું હતું. ભૂકંપ પછી હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટાં નુકસાનના અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે તિબેટમાં આ પહેલાં પણ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાઈ ચૂકી છે. 5 ડિસેમ્બરે અહીં 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નિષ્ણાતો જણાવે છે કે છીછરા ભૂકંપ સામાન્ય રીતે વધુ ખતરનાક હોય છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતા તરંગો સપાટી સુધી ઓછા અંતરે પહોંચે છે…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે. ઇશિકાવા પ્રીફેક્ચર અને આસપાસના કિનારાકાંઠા વિસ્તારો માટે તાત્કાલિક સુનામી ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને તરત જ ઊંચી જમીન પર સ્થળાંતર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠે રહેતા લોકોને દરિયા નજીકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર અને કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય ટીવી પર સતત સ્થળાંતર સંબંધિત સૂચનાઓ અને ચેતવણીઓ પ્રસારિત થઈ રહી…
ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી. (16 ઇંચ) જેટલું પાણી પડ્યું, જેના કારણે 836 લોકો માર્યા ગયા અને 518 લોકો હજુ પણ ગુમ છે. વિનાશની સૌથી ભયાનક બાબત એ હતી કે હજારો કાપેલા લાકડાના મોટા લોગ્સ પાણી સાથે પહાડ પરથી નીચે આવી ગયા અને ઘરોનો નાશ કર્યો. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે આ વિનાશનું મુખ્ય કારણ જંગલોનો નાશ છે. વૃક્ષોના અભાવે માટી પાણીને શોષી શકતી નથી અને ઢોળાવ પર ભૂસ્ખલન 10 ગણું વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સુમાત્રાના 35% થી વધુ જંગલો પામ તેલના વાવેતર અને કાગળ ઉદ્યોગ માટે કાપી નાખવામાં આવ્યા.…
PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ચક્રવાત દિત્વાહાથી થયેલા નુકસાનને લઈ આપી સહાયની ખાતરી
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહાને કારણે જાનમાલનો મોટો નુકસાન થયો છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ફોન પર વાત કરી અને આ મુશ્કેલ સમયમાં ભારતની માનવતાવાદી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત શ્રીલંકાની સહાય માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને ભારત દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને બચાવ ટીમો જમીન પર કાર્યરત છે. તેમણે રાષ્ટ્રપતિને ખાતરી આપી કે ઓપરેશન સાગર બંધુ હેઠળ જરૂર મુજબ રાહત, બચાવ અને માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રપતિ દિસાનાયકે ભારતનો આભાર માન્યો શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની તાત્કાલિક સહાયથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બની છે. ભારતીય બચાવ ટીમોની સમયસર તૈનાતી અને મોકલવામાં આવેલા પુરવઠા કારણે અનેક લોકોને તરત રાહત મળી છે. તેમણે ભારત દ્વારા લેવામાં આવેલા…
ફિલિપાઇન્સ: વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે, 10 લાખ લોકોને કરાયા સ્થળાંતરિત
ફિલિપાઇન્સમાં એક પછી એક વાવાઝોડાંનો ત્રાસ ચાલુ છે. તાજેતરમાં આવેલા ટાયફૂન ફંગ-વોંગ (Typhoon Fung-Wong)ના કારણે દેશમાં ભારે વરસાદ, પૂર અને તોફાની પવનથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઓરોરા પ્રાંતમાં લેન્ડફોલની શક્યતા હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ફંગ-વોંગ વાવાઝોડું ઓરોરા પ્રાંતમાં રાત્રે 8 થી 11 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરશે. વાવાઝોડાથી પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરકારે નાગરિકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ, ઓફિસો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. ફ્લાઇટ્સ રદ, પરિવહન પર અસર વાવાઝોડાને પગલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ લુઝોન અને બિકોલ વિસ્તારમા પણ પૂરની…
લેહમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ, જાણો વિગત
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં આ ભૂકંપ આવ્યો છે, જે રિક્ટર સ્કેલ પર 4.1 તીવ્રતાનો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયું છે. NCS દ્વારા આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનમાં શનિવારે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે 160 કિલોમીટર ઊંડાઈએ હતું, જ્યારે લેહમાં ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ હતું. આ પહેલાં 24 ઓક્ટોબરે પણ 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય પ્રદેશોમાંના છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ વિસ્તારમાં વારંવાર મધ્યમથી મજબૂત ભૂકંપ આવે છે, જે ઘણીવાર સરહદની પારે અનુભવાય છે. હાલમાં ભારતના લેહમાં ભૂકંપના આંચકા…
















