વાવાઝોડું ‘નારા’નો કહેર: 972 ગામો પ્રભાવિત, 1.87 લાખ લોકો મુશ્કેલીમાં

ટોંકિનની ખાડીમાં સક્રિય થયેલું ‘નારા’ નામનું ચક્રવાતી વાવાઝોડું દક્ષિણ-પૂર્વ એશિયાના અનેક દેશો માટે ગંભીર ખતરો બની રહ્યું છે. વાવાઝોડા સાથે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ મજબૂત બનતાં લાઓસ, વિયેતનામ, મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરી છે. વિયેતનામના કિનારા નજીક પહોંચ્યું ‘નારા’ હાલમાં ‘નારા’ ટોંકિનની ખાડીમાં વિયેતનામના ઉત્તરીય કિનારાની નજીક સક્રિય છે. વાવાઝોડાનું કેન્દ્ર બેક લોન્ગ વી વિશેષ આર્થિક ક્ષેત્રની ઉત્તરે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વિસ્તાર ક્વાંગ નિન્હથી આશરે 135 કિલોમીટર અને હાઇ ફોંગથી લગભગ 140 કિલોમીટર પૂર્વમાં છે. વાવાઝોડામાં પવનની ઝડપ 62થી 88 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. તેની સાથે દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન અને…

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…

ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ

ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોએ નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય સાવચેતી અપનાવવામાં આવે તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકાશી વીજળી અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ભારત સરકારની સત્તાવાર Damini App મોબાઇલમાં ડાઉનલોડ કરીને વીજળી અંગે અગાઉથી ચેતવણી મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને 1070 અથવા 1077 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદમાં ઘરની અંદર હોવ…

નાગાલેન્ડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 8ના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા

નાગાલેન્ડમાં સતત પડી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના મોન જિલ્લામાં રવિવારે સવારે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. આ દુર્ઘટના મોન જિલ્લાના ડિફેન્સ કોલોની વિસ્તારમાં બની હતી, જ્યાં ભારે વરસાદ બાદ અચાનક પહાડીનો મોટો ભાગ ધસી પડતાં રહેણાંક મકાનો ક્ષણોમાં જ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. SDRF, NDRF અને આસામ રાઇફલ્સ બચાવ કામગીરીમાં જોડાયા ભૂસ્ખલનની માહિતી મળતા જ SDRF, NDRF,…