તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું

26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે તે દાવો કરી રહ્યો છે કે તે નિર્દોષ છે. તહવ્વુર હુસૈન રાણાએ કહ્યું કે, તેમને 26/11 ના હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. તેણે આ હુમલા માટે તેના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલીને જવાબદાર ઠેરવ્યો. પૂછપરછ દરમિયાન રાણાએ એમ પણ કહ્યું કે મુંબઈ હુમલાના કાવતરામાં તેની કોઈ ભૂમિકા નહોતી. આમાં ડેવિડ હેડલીનો હાથ હતો. કેરળ અંગે શું કહ્યું ! પૂછપરછ દરમિયાન રાણાએ એમ પણ કહ્યું કે દિલ્હી અને મુંબઈ ઉપરાંત તે કેરળ પણ ગયો હતો. જ્યારે અધિકારીઓએ તેમને કેરળ જવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ…