અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ
ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયા છે. પોલીસ તેમની શોધખોળ માટે કાર્યવાહી કરી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયા પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ પાનસુરિયા પર વ્યાજખોરોના દબાણ અને ઉઘરાણીઓનો ગંભીર ત્રાસ હતો. રવિએ ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11.25 કરોડ રૂપિયાની વ્યાજ દેવામાં લીધી હતી. તેમણે અત્યાર સુધીમાં 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસ મારફત ચૂકવ્યા હતા, પરંતુ વ્યાજખોરોએ 2.97 કરોડના બાકી રકમ સામે 15 કરોડની ઉઘરાણીનો દબાણ કર્યું. CCTVમાં દ્રશ્યો અને વીડિયો વાયરલ 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યા હતા, અને…







