દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાતની ધરપકડ
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાયના કપડા કામદાર દીપુ ચંદ્ર દાસની ક્રૂર હત્યાના મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ હત્યાનો માસ્ટરમાઇન્ડ ભૂતપૂર્વ મદરેસા શિક્ષક યાસીન અરાફાત છે. આ ઘટનાએ દેશ અને વિદેશમાં લઘુમતી સમુદાય સામે વધતી હિંસા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે. કોણ છે યાસીન અરાફાત? પકડાયેલ આરોપી યાસીન અરાફાત ભૂતપૂર્વ મદરેસા શિક્ષક હોવાનું પોલીસએ જણાવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે તેણે દીપુ ચંદ્ર દાસની હત્યાનું પૂર્વ આયોજન કર્યું હતું અને હિંસક ટોળાને ઉશ્કેરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દીપુ ચંદ્ર દાસ સાથે શું થયું? પોલીસ અનુસાર, ▪️ હત્યા તારીખ: 18 ડિસેમ્બર, 2025 ▪️ સ્થળ: મૈમનસિંહ જિલ્લો, બાંગ્લાદેશ 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસ એક કપડા ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપ છે કે:…
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…
લઘુમતીઓ અંગેની ટિપ્પણી પર MEAનો જડબાતોડ જવાબ, કહ્યું – પાકિસ્તાન પહેલા પોતાનો રેકોર્ડ જોઈ લે
ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ કડક પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા પાકિસ્તાનને આત્મમંથન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત પર આક્ષેપો કરવા પહેલા પોતાના દેશમાં લઘુમતીઓની હાલત પર નજર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ કેટલી ગંભીર છે અને પાકિસ્તાન પોતાનું સત્ય છુપાવી શકતું નથી. પાકિસ્તાનની ટિપ્પણીઓ પર ભારતની સ્પષ્ટતા હકીકતમાં, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાય સામે હિંસા વધી રહી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ…









