મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ વુમનને રાહત મળશે, જે નોકરી પહેલાં માતા બન્યા બાદ માતૃત્વના અધિકારથી વંચિત રહી હતી. શું છે નવો નિયમ? રાજ્ય નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, જો મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતા બની હોય તો: બાળકના જન્મની તારીખથી 180 દિવસની અંદરનો સમયગાળો ગણવામાં આવશે. જો નોકરીમાં જોડાણ 180 દિવસ પછી થાય, તો જેટલા દિવસ બાકી રહે, એટલી મેટરનિટી લીવ માન્ય રહેશે. તે દરમિયાન અન્ય કોઈ ખાસ શરતો લાગુ નહીં પડે. આ નિર્ણય ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે…







