‘જી રામ જી’ બિલ બન્યું કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો શું છે વિગત

ગ્રામિણ ભારત માટે મહત્વપૂર્ણ કાયદાકીય બદલાવ થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ) એટલે કે ‘VB–જી રામ જી’ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપતાં તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. આ કાયદા સાથે મનરેગાની જગ્યાએ નવી વ્યવસ્થા અમલમાં આવી છે, જેમાં ગ્રામિણ પરિવારોને હવે વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે. સરકારનું માનવું છે કે આ પગલાથી ગ્રામિણ અર્થતંત્રને મજબૂત આધાર મળશે અને ગરીબ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે. સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ આ વિધેયક સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી ઐતિહાસિક ભૂલ…