અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં ફરિયાદી દ્વારા દાખલ અરજીના આધારે આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે દેવાયત ખવડને જામીન મંજૂર કર્યો હતો, પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા તેના રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન રદ કરવા પાછળનો કારણ ફરિયાદીની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો છે. હવે લોકસાહિત્યકાર માટે કાયદાકીય માર્ગો મર્યાદિત થઈ ગયા છે. કોર્ટનો આદેશ દેવાયત ખવડ ફરજિયાતપણે એક મહિનાની સમયમર્યાદામાં ચાંગોદર પોલીસ મથક…

લાલુ યાદવની વધી મુશ્કેલી, રાષ્ટ્રપતિએ લોન્ડરિંગનો કેસ દાખલ કરવા આપી મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધવાની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોકરી માટે જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી આપી દીધી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દ્રૌપદી મુર્મુએ CrPCની કલમ 197(1) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 218 હેઠળ કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ED એ ચાર્જશીટ દાખલ કરી ED રેલવેમાં નોકરી માટે જમીન કૌભાંડની તપાસ કરી રહી છે. ED એ ગયા વર્ષે ઓગસ્ટમાં 76 વર્ષીય બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, તેમના પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને પરિવારના અન્ય સભ્યો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરાયેલી FIRના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો…