દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટએ ડૉ. મુઝમ્મિલ, આદિલ, શાહીન અને મૌલવી ઇરફાનને 10 દિવસની NIA કસ્ટડી મંજૂર કરી છે, જેથી તેમને વધુ પૂછપરછ કરી શકાય. હુમલાના આયોજનમાં મુખ્ય ભૂમિકા NIA તપાસ મુજબ, આ ચારેય આરોપીઓએ લાલ કિલ્લા કાર વિસ્ફોટની યોજનામાંથી લઈને અમલ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતાં, જેના કારણે દેશવ્યાપી ચિંતા ફેલાઈ હતી. એજન્સીએ અગાઉ અમીર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશને પણ ધરપકડ કરી હતી.…
યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ ગઈ છે. પતિ ફાંસી પર, પત્ની અને 3 બાળકો ખાટલા પર મૃત હાલતમાં મળતી માહિતી અનુસાર, મૃતકોનું રૂમ અંદરથી જ બંધ હતું. સવારે પરિવારજનો અને ગામલોકોએ શંકા જતા દરવાજો તોડીને અંદર જોયું ત્યારે ચોંકાવનારી સ્થિતિ જોવા મળી. રૂમમાં પતિ રોઝ અલી (32)નો મૃતદેહ ફાંસીના ફાંસામાં લટકતો મળ્યો. પત્ની શહનાઝ (30), પુત્રી તબસ્સુમ (6), પુત્રી ગુલનાઝ (4), પુત્ર મુઇન અલી (1.5 વર્ષ) ખાટલા પર મૃત હાલતમાં મળ્યા. આ પાંચેયના મૃત્યુ આસપાસ અનેક શંકાઓ ઊભી કરી રહ્યા છે, ખાસ કરીને રૂમ અંદરથી બંધ મળી આવવાને કારણે ઘટના વધુ…









