Bindia
- Treding News , Trending News , નેશનલ
- October 8, 2025
હિમાચલમાં ભૂસ્ખલનથી અકસ્માત: રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, આર્થિક સહાયની જાહેરાત
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે, જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ હેઠળ દબાયેલા હોવાની આશંકા છે. દુર્ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ અને એનડીઆરએફ ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડીસી રાહુલ કુમારએ જણાવ્યું કે, “અત્યાર સુધીમાં 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ત્રણ લોકોને જીવતાણે બચાવવામાં આવ્યા છે.” PM મોદીએ જાહેર કરી આર્થિક સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, “હિમાચલના બિલાસપુરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. મારી સંવેદના અસરગ્રસ્ત…







