જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ દરમિયાન સ્થાનિક અને સુરક્ષા અધિકારીઓમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ. ડ્રોનની પ્રવૃત્તિ અને પેહલાનો બનાવ મળતી માહિતી પ્રમાણે, રવિવારે સવારે લગભગ 11.30 વાગ્યે રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યો, જે થોડા સમય માટે ભારતીય પ્રદેશ પર ફરતું રહ્યું. શનિવારે પણ સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં ડ્રોનની પ્રવૃત્તિ નોંધાઇ હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક ડ્રોન જેવી વસ્તુ દેખાઇ અને કંદ્રાલ ગામની ઉપર ઘણા મિનિટો સુધી ફરતી રહી. સેનાની કાર્યવાહી ડ્રોનની ગતિવિધિ જોઈને સુરક્ષા દળોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જે દરમિયાન કોઈ ગેરકાયદેસર સામગ્રી મળી નહોતી. અગાઉ…

Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે “અમે યુદ્ધ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ” અને હાલની સ્થિતિને સંપૂર્ણ યુદ્ધમાં પરિવર્તિત થતી અટકાવવી જોઈએ. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ભારતે પીઓકે અને પંજાબમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા છે. આ હુમલાઓનો ઉદ્દેશ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવો હતો, જેમાં 26 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ખ્વાજા આસિફે CNNના ‘Connect the World’ કાર્યક્રમમાં એન્કર બેકી એન્ડરસન સાથે વાતચીત દરમિયાન સ્વીકાર્યું કે ભારતે મંગળવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી હતી. તેમણે આ ઘટનાને “સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી અને…

જમ્મુ-કાશ્મીર: લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ, 22 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે એક દુખદ ઘટના બની છે જ્યાં લગ્નની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. ધન્નીધર કપ્પા ખા વિસ્તારમાં, લગ્ન સમારોહ દરમિયાન ઘરની દિવાલ ધરાશાયી થતા 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી બે બાળકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. કેવી રીતે બન્યું દુર્ઘટનાનું ભયાનક દ્રશ્ય? પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે 8 વાગ્યે કપ્પા ખા વિસ્તારના રહેવાસી મોહમ્મદ આદ્રીસના ઘરેથી લગ્નની સરઘસ નીકળી હતી. સરઘસ પહેલાં સાંજે 6 વાગ્યાની આસપાસ તીવ્ર વરસાદ શરૂ થયો હતો. આ સમયે જ ઘરની એક દિવાલ, જેના પર પાઈપો અને તંબુ બાંધવામાં આવ્યા હતા, અચાનક ધરાશાયી થઈ. દિવાલ અને પાઈપો સીધા ત્યાં ઊભેલા મહિલાઓ અને બાળકો પર પડ્યા. કોને કેવી ઇજાઓ થઈ? હાથવગા સ્થાનિક લોકો અને પોલીસની ટીમે તરત…