કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, જાહેરનામું પ્રસિદ્ધ
અમદાવાદ શહેરમાં આયોજિત થનારા કાંકરીયા કાર્નિવલ 2025 દરમિયાન નાગરિકોની સલામતી અને સુચારુ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કાર્નિવલના દિવસો દરમિયાન કાંકરીયા તળાવ અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અસ્તવ્યસ્તતા ન સર્જાય તે માટે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ, ડાયવર્ઝન તથા પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કાર્નિવલ દરમિયાન કાંકરીયા તળાવ તરફ જતા મુખ્ય માર્ગો પર ચોક્કસ સમયગાળા માટે વાહન પ્રવેશ પર નિયંત્રણ રહેશે. જાહેર વાહનો, ઇમરજન્સી સેવાઓ અને પાસ ધરાવતા વાહનોને જરૂરિયાત મુજબ છૂટ આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ટ્રાફિક…







