“ન્યાયિક સ્વતંત્રતા પર આક્રમણ: MP હાઈકોર્ટે જજને મળેલી ધમકીઓનો લીધો સ્વયં સંજ્ઞાન!”
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ન્યાયાધીશને મળેલી ધમકીઓનો લીધો ગંભીર નોંધ: સ્વયં સંજ્ઞાન લઈને સરકારને આપ્યા આદેશ ભોપાલ: મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યા બાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તબસ્સુમ ખાનને મળી રહેલી ધમકીઓના મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. કોર્ટે આ મામલે ‘સ્વયં સંજ્ઞાન’ (Suo Motu) લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. શું છે સમગ્ર મામલો? ૧૨ જૂન, ૨૦૨૬ ના રોજ ન્યાયાધીશ તબસ્સુમ ખાને એક મોબ લિંચિંગ કેસમાં ચુકાદો આપ્યો હતો. ૨૦૨૨માં ગૌતસ્કરીના આક્ષેપમાં ટ્રક ડ્રાઈવર શેખ લાલા નાઝીર અહેમદની હત્યા કરવા બદલ તેમણે ૭ ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ તેમને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળવા લાગી હતી અને તેમની વિરુદ્ધ ઓનલાઈન દ્વેષપૂર્ણ અભિયાન…







